Sunday, September 9, 2018

To do & Not to do

*જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.
*અરે મુકો માથાકૂટ,
*ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,
*મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
*કોઈની બળતરા કરવાની જરૂર નથી,
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
*ક્યાં જવું છે અભિમાન રાખીને?
*સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
*તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
*બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
*મજાથી શોખ પૂરાં કરો,ઉમર સામું ના જોવો,
*વરસાદમાં હડી કાઢી નાવ,
*જોવાયુ એટલું જોય લો,ફરી લો,
*કોઈને નડીએ નહીં એટલે ઘણું,
*બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
*થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
*માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
*આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે
માટે જલસાથી જીવો.
*મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે... "Well played boss."

No comments:

Subscribe Now: standardSmall